ભાજપ બે ચેલેન્જ પૂરી કરે તો હું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઈશ - કેજરીવાલ
January 12, 2025
દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે ભાજપને બે મોટા પડકારો આપ્યા છે. ઝૂંપડપટ્ટીઓ અંગે કેજરીવાલે કહ્યું કે જેમના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે તેમને એ જ જગ્યાએ ઘર બનાવી આપવામાં આવે અને તેમની સામેના કેસ પાછા ખેંચવામાં આવે. જો ભાજપ આ બે ચેલેન્જ પૂરી કરે તો હું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઈશ. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે 27 ડિસેમ્બરે ઉપરાજ્યપાલે શકુર બસ્તી રેલ્વે કોલોની પાસે બનેલી ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. કેજરીવાલે કહ્યું કે દસ વર્ષમાં ભાજપે ઝૂંપડપટ્ટી જગ્યાએ ફક્ત 4700 ઘર આપ્યા છે જ્યારે દિલ્હીમાં ચાર લાખ ઝૂંપડા છે. ભાજપ આગામી એક વર્ષમાં બધી ઝૂંપડપટ્ટી તોડી પાડવા જઈ રહ્યો છે.
ચૂંટણી પૂરી થતાં જ ભાજપ બધા ઝૂંપડા તોડી પાડશે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ ઝૂંપડપટ્ટીના લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. ભાજપ કહે છે કે તે ઝૂંપડપટ્ટી હટાવીને ઘર આપશે પરંતુ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ રેલ્વેએ આ જમીનનું ટેન્ડર જાહેર કર્યું છે. 15 દિવસ પહેલા ઉપરાજ્યપાલે આ ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ખ્યાલ નથી કે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પૂરી થતાં આ ઝૂંપડપટ્ટી તોડી પાડશે. કેજરીવાલે કહ્યું છે કે અમિત શાહ ઝૂંપડપટ્ટીવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપ કહે છે કે 'જ્યાં ઝૂંપડા, ત્યાં મકાન' આપીશું પણ એવું નથી કહેતા કે જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં તેમના મિત્રો અને બિલ્ડર્સના મકાન બનશે. આખી દુનિયા જાણે છે કે તેમના એક જ મિત્ર છે અને પોતાના મિત્રને આપવા માટે તેમની ખરાબ નજરો હવે તમારા ઝૂંપડા પર પડી ગઈ છે. આ દરમિયાન પાયલટે કહ્યું કે, 'કોંગ્રેસ પોતાના વચનો પૂર્ણ કરવા પોતાની જવાબદારી સમજે છે. તુ તુ મેં મેંની રાજનીતિ ખતમ કરીને, અમે રચનાત્મક રાજનીતિ કરીશું. જો કોંગ્રેસ જીતશે, તો અમે ખાસ કરીને યુથ પર ફોકસ કરીશું. અમારી સરકાર આવશે, તો દિલ્હીમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને એક વર્ષની અપ્રેન્ટિસશિપ હેઠળ 8500 રૂપિયા દર મહિને આપીશું. યુવાનોને આ દરમિયાન તેમની ફિલ્ડમાં પણ કામ અપાવીશું. દિલ્હીમાં નામ પોકારવાની રાજનીતિ જોવા મળી રહી છે અને લોકોને નવા વિકલ્પની જરૂર છે.' પાયલટે ઈન્ડિયા બ્લોકમાં ભંગાણ થવા પર કહ્યું કે, 'દરેક રાજ્યની પોતાની રાજનીતિ હોય છે. પંજાબમાં આપ અને કોંગ્રેસ બંને એક-બીજાની સામે લડ્યા હતા. ઈન્ડિયા બ્લોક મજબૂત છે. દરેક રાજ્ય એકમોની સ્થિતિ અળગ છે. લોકસભા ચૂંટણી વચ્ચે લોકશાહી બચાવવા માટે ઈન્ડિયા બ્લોક બનાવાયું હતું.'
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026