પંજાબમાં પૂર: દિલજીત દોસાંઝે 10 ગામ તો આ કલાકારે 200 પરિવાર દત્તક લીધા, સોનુ સૂદ પણ મદદે આવ્યો
September 02, 2025
પંજાબના અનેક જિલ્લાઓમાં રવિવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદના કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં પૂર આવતા ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વિનાશકારી ઘટના વચ્ચે, પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજ, એમી વિર્ક, સોનુ સૂદ, સંજય દત્ત સહિત ઘણા કલાકારો પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. સોનુ સૂદે પોતાના 'X' હેન્ડલ પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ફિરોઝપુર, તરનતારણ અને ફાઝિલ્કા જેવા વિસ્તારોની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે. લોકોને મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું, 'પંજાબ મારી આત્મા છે. ભલે બધું જ જતું રહે, હું પાછળ નહીં હટું. અમે પંજાબી છીએ, અમે હાર માનતા નથી.' તેમની બહેન માલવિકા સૂદ પહેલાથી જ જમીની સ્તરે રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે. એક અન્ય પોસ્ટમાં સોનુ સૂદે ખેડૂતો વિશે લખ્યું છે, 'ખેડૂતો માટે પશુઓ માત્ર પશુ નથી, તે તેમની આજીવિકા છે. પૂરએ તે છીનવી લીધું છે. આપણે, વ્યક્તિગત રીતે અને સરકાર તરીકે, દરેક પરિવારને તેમના પશુઓ પાછા મળે તે સુનિશ્ચિત કરવું પડશે. આ માત્ર વળતરની વાત નથી, પરંતુ સન્માન અને આજીવિકાની પુનઃસ્થાપનાની વાત છે.'
પંજાબી અભિનેતા અને ગાયક એમી વિર્કે પંજાબના પૂર પીડિતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. તેણે અને તેની ટીમે પૂરને કારણે સર્વસ્વ ગુમાવનારા 200 પરિવારોને દત્તક લીધા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એમીએ કહ્યું કે, 'આ પહેલનો હેતુ ફક્ત આશ્રય આપવાનો નથી, પરંતુ આ પરિવારોને ફરીથી જીવન શરૂ કરવા માટે આશા, સન્માન અને શક્તિ આપવાનો છે.' તેણે લોકોને પણ મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. સિંગર સુનંદા શર્માએ બતાવ્યું છે કે તેનું હૃદય સંગીતની જેમ જ માનવતા માટે પણ ધબકે છે. આ લોકપ્રિય પંજાબી કલાકારે તાજેતરમાં પંજાબના પરિવારો સુધી પહોંચીને 250 પરિવારોને વ્યક્તિગત રીતે રાહત કિટ આપી છે. લોકપ્રિય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજે પૂર સંકટ દરમિયાન પંજાબની મદદ માટે આગળ આવ્યો છે. દિલજીતની ટીમે પંજાબમાં આવેલા પૂર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, 'દિલજીત દોસાંજે અન્ય NGO અને સ્થાનિક વહીવટીતંત્ર (ગુરદાસપુર અને અમૃતસર)ના સહયોગથી 10 અત્યંત પ્રભાવિત ગામોને દત્તક લીધા છે.' એક સત્તાવાર બુલેટિન અનુસાર, રાજ્યના 23માંથી 12 જિલ્લા 1 ઓગસ્ટથી પૂરની ચપેટમાં છે, જેને રાજ્ય સરકારે દાયકાઓની સૌથી ભયંકર પૂર દુર્ઘટનાઓમાંથી એક ગણાવી છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પંજાબમાં આવેલા પૂરને 'ખરેખર હૃદયદ્રાવક' ગણાવ્યું છે અને મદદનું વચન આપ્યું છે. જાણીતા સૂફી ગાયક સતિંદર સરતાજે પોતાના જન્મદિવસને પૂર રાહત કાર્ય માટે સમર્પિત કર્યો. તેના 'સરતાજ ફાઉન્ડેશન' દ્વારા, તેની ટીમે ફિરોઝપુર અને ફાઝિલ્કાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું. તેણે દેશભરના લોકોને મદદ માટે અપીલ પણ કરી છે. આ ઉપરાંત, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, રણજીત બાવા, ઇન્દ્રજીત નિક્કુ, સુનંદા શર્મા અને જસબીર જસ્સી જેવા અન્ય કલાકારો પણ રાહત કાર્યમાં સામેલ થયા છે.
પંજાબી અભિનેતા અને ગાયક એમી વિર્કે પંજાબના પૂર પીડિતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. તેણે અને તેની ટીમે પૂરને કારણે સર્વસ્વ ગુમાવનારા 200 પરિવારોને દત્તક લીધા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એમીએ કહ્યું કે, 'આ પહેલનો હેતુ ફક્ત આશ્રય આપવાનો નથી, પરંતુ આ પરિવારોને ફરીથી જીવન શરૂ કરવા માટે આશા, સન્માન અને શક્તિ આપવાનો છે.' તેણે લોકોને પણ મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. સિંગર સુનંદા શર્માએ બતાવ્યું છે કે તેનું હૃદય સંગીતની જેમ જ માનવતા માટે પણ ધબકે છે. આ લોકપ્રિય પંજાબી કલાકારે તાજેતરમાં પંજાબના પરિવારો સુધી પહોંચીને 250 પરિવારોને વ્યક્તિગત રીતે રાહત કિટ આપી છે. લોકપ્રિય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજે પૂર સંકટ દરમિયાન પંજાબની મદદ માટે આગળ આવ્યો છે. દિલજીતની ટીમે પંજાબમાં આવેલા પૂર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, 'દિલજીત દોસાંજે અન્ય NGO અને સ્થાનિક વહીવટીતંત્ર (ગુરદાસપુર અને અમૃતસર)ના સહયોગથી 10 અત્યંત પ્રભાવિત ગામોને દત્તક લીધા છે.' એક સત્તાવાર બુલેટિન અનુસાર, રાજ્યના 23માંથી 12 જિલ્લા 1 ઓગસ્ટથી પૂરની ચપેટમાં છે, જેને રાજ્ય સરકારે દાયકાઓની સૌથી ભયંકર પૂર દુર્ઘટનાઓમાંથી એક ગણાવી છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પંજાબમાં આવેલા પૂરને 'ખરેખર હૃદયદ્રાવક' ગણાવ્યું છે અને મદદનું વચન આપ્યું છે. જાણીતા સૂફી ગાયક સતિંદર સરતાજે પોતાના જન્મદિવસને પૂર રાહત કાર્ય માટે સમર્પિત કર્યો. તેના 'સરતાજ ફાઉન્ડેશન' દ્વારા, તેની ટીમે ફિરોઝપુર અને ફાઝિલ્કાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું. તેણે દેશભરના લોકોને મદદ માટે અપીલ પણ કરી છે. આ ઉપરાંત, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, રણજીત બાવા, ઇન્દ્રજીત નિક્કુ, સુનંદા શર્મા અને જસબીર જસ્સી જેવા અન્ય કલાકારો પણ રાહત કાર્યમાં સામેલ થયા છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026