પંજાબમાં પૂર: દિલજીત દોસાંઝે 10 ગામ તો આ કલાકારે 200 પરિવાર દત્તક લીધા, સોનુ સૂદ પણ મદદે આવ્યો
September 02, 2025

પંજાબી અભિનેતા અને ગાયક એમી વિર્કે પંજાબના પૂર પીડિતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. તેણે અને તેની ટીમે પૂરને કારણે સર્વસ્વ ગુમાવનારા 200 પરિવારોને દત્તક લીધા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એમીએ કહ્યું કે, 'આ પહેલનો હેતુ ફક્ત આશ્રય આપવાનો નથી, પરંતુ આ પરિવારોને ફરીથી જીવન શરૂ કરવા માટે આશા, સન્માન અને શક્તિ આપવાનો છે.' તેણે લોકોને પણ મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. સિંગર સુનંદા શર્માએ બતાવ્યું છે કે તેનું હૃદય સંગીતની જેમ જ માનવતા માટે પણ ધબકે છે. આ લોકપ્રિય પંજાબી કલાકારે તાજેતરમાં પંજાબના પરિવારો સુધી પહોંચીને 250 પરિવારોને વ્યક્તિગત રીતે રાહત કિટ આપી છે. લોકપ્રિય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજે પૂર સંકટ દરમિયાન પંજાબની મદદ માટે આગળ આવ્યો છે. દિલજીતની ટીમે પંજાબમાં આવેલા પૂર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, 'દિલજીત દોસાંજે અન્ય NGO અને સ્થાનિક વહીવટીતંત્ર (ગુરદાસપુર અને અમૃતસર)ના સહયોગથી 10 અત્યંત પ્રભાવિત ગામોને દત્તક લીધા છે.' એક સત્તાવાર બુલેટિન અનુસાર, રાજ્યના 23માંથી 12 જિલ્લા 1 ઓગસ્ટથી પૂરની ચપેટમાં છે, જેને રાજ્ય સરકારે દાયકાઓની સૌથી ભયંકર પૂર દુર્ઘટનાઓમાંથી એક ગણાવી છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પંજાબમાં આવેલા પૂરને 'ખરેખર હૃદયદ્રાવક' ગણાવ્યું છે અને મદદનું વચન આપ્યું છે. જાણીતા સૂફી ગાયક સતિંદર સરતાજે પોતાના જન્મદિવસને પૂર રાહત કાર્ય માટે સમર્પિત કર્યો. તેના 'સરતાજ ફાઉન્ડેશન' દ્વારા, તેની ટીમે ફિરોઝપુર અને ફાઝિલ્કાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું. તેણે દેશભરના લોકોને મદદ માટે અપીલ પણ કરી છે. આ ઉપરાંત, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, રણજીત બાવા, ઇન્દ્રજીત નિક્કુ, સુનંદા શર્મા અને જસબીર જસ્સી જેવા અન્ય કલાકારો પણ રાહત કાર્યમાં સામેલ થયા છે.
Related Articles
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં ફસાઈ, ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદે રીતે ખરીદવાનો આરોપ
શાહરુખ ખાનની દીકરી સુહાના કાનૂની કેસમાં...
Sep 03, 2025
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ
સંજય લીલા ભણશાળી સામે છેતરપિંડીની પોલીસ...
Sep 03, 2025
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી નાખ્યું
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી...
Sep 02, 2025
જી લે જરામાંથી કેટરીના, પ્રિયંકા, આલિયાની બાદબાકીની સંભાવના
જી લે જરામાંથી કેટરીના, પ્રિયંકા, આલિયાન...
Sep 02, 2025
ટીવી કલાકાર પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે કેન્સરથી નિધન
ટીવી કલાકાર પ્રિયા મરાઠેનું 38 વર્ષની વય...
Sep 01, 2025
શાહિદ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ રોમિયોનું શૂટિંગ પૂર્ણ
શાહિદ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ રોમિયોનું...
Sep 01, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

02 September, 2025