પંજાબમાં પૂર: દિલજીત દોસાંઝે 10 ગામ તો આ કલાકારે 200 પરિવાર દત્તક લીધા, સોનુ સૂદ પણ મદદે આવ્યો
September 02, 2025
પંજાબના અનેક જિલ્લાઓમાં રવિવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદના કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં પૂર આવતા ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વિનાશકારી ઘટના વચ્ચે, પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજ, એમી વિર્ક, સોનુ સૂદ, સંજય દત્ત સહિત ઘણા કલાકારો પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. સોનુ સૂદે પોતાના 'X' હેન્ડલ પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ફિરોઝપુર, તરનતારણ અને ફાઝિલ્કા જેવા વિસ્તારોની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે. લોકોને મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું, 'પંજાબ મારી આત્મા છે. ભલે બધું જ જતું રહે, હું પાછળ નહીં હટું. અમે પંજાબી છીએ, અમે હાર માનતા નથી.' તેમની બહેન માલવિકા સૂદ પહેલાથી જ જમીની સ્તરે રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે. એક અન્ય પોસ્ટમાં સોનુ સૂદે ખેડૂતો વિશે લખ્યું છે, 'ખેડૂતો માટે પશુઓ માત્ર પશુ નથી, તે તેમની આજીવિકા છે. પૂરએ તે છીનવી લીધું છે. આપણે, વ્યક્તિગત રીતે અને સરકાર તરીકે, દરેક પરિવારને તેમના પશુઓ પાછા મળે તે સુનિશ્ચિત કરવું પડશે. આ માત્ર વળતરની વાત નથી, પરંતુ સન્માન અને આજીવિકાની પુનઃસ્થાપનાની વાત છે.'
પંજાબી અભિનેતા અને ગાયક એમી વિર્કે પંજાબના પૂર પીડિતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. તેણે અને તેની ટીમે પૂરને કારણે સર્વસ્વ ગુમાવનારા 200 પરિવારોને દત્તક લીધા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એમીએ કહ્યું કે, 'આ પહેલનો હેતુ ફક્ત આશ્રય આપવાનો નથી, પરંતુ આ પરિવારોને ફરીથી જીવન શરૂ કરવા માટે આશા, સન્માન અને શક્તિ આપવાનો છે.' તેણે લોકોને પણ મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. સિંગર સુનંદા શર્માએ બતાવ્યું છે કે તેનું હૃદય સંગીતની જેમ જ માનવતા માટે પણ ધબકે છે. આ લોકપ્રિય પંજાબી કલાકારે તાજેતરમાં પંજાબના પરિવારો સુધી પહોંચીને 250 પરિવારોને વ્યક્તિગત રીતે રાહત કિટ આપી છે. લોકપ્રિય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજે પૂર સંકટ દરમિયાન પંજાબની મદદ માટે આગળ આવ્યો છે. દિલજીતની ટીમે પંજાબમાં આવેલા પૂર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, 'દિલજીત દોસાંજે અન્ય NGO અને સ્થાનિક વહીવટીતંત્ર (ગુરદાસપુર અને અમૃતસર)ના સહયોગથી 10 અત્યંત પ્રભાવિત ગામોને દત્તક લીધા છે.' એક સત્તાવાર બુલેટિન અનુસાર, રાજ્યના 23માંથી 12 જિલ્લા 1 ઓગસ્ટથી પૂરની ચપેટમાં છે, જેને રાજ્ય સરકારે દાયકાઓની સૌથી ભયંકર પૂર દુર્ઘટનાઓમાંથી એક ગણાવી છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પંજાબમાં આવેલા પૂરને 'ખરેખર હૃદયદ્રાવક' ગણાવ્યું છે અને મદદનું વચન આપ્યું છે. જાણીતા સૂફી ગાયક સતિંદર સરતાજે પોતાના જન્મદિવસને પૂર રાહત કાર્ય માટે સમર્પિત કર્યો. તેના 'સરતાજ ફાઉન્ડેશન' દ્વારા, તેની ટીમે ફિરોઝપુર અને ફાઝિલ્કાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું. તેણે દેશભરના લોકોને મદદ માટે અપીલ પણ કરી છે. આ ઉપરાંત, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, રણજીત બાવા, ઇન્દ્રજીત નિક્કુ, સુનંદા શર્મા અને જસબીર જસ્સી જેવા અન્ય કલાકારો પણ રાહત કાર્યમાં સામેલ થયા છે.
પંજાબી અભિનેતા અને ગાયક એમી વિર્કે પંજાબના પૂર પીડિતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. તેણે અને તેની ટીમે પૂરને કારણે સર્વસ્વ ગુમાવનારા 200 પરિવારોને દત્તક લીધા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એમીએ કહ્યું કે, 'આ પહેલનો હેતુ ફક્ત આશ્રય આપવાનો નથી, પરંતુ આ પરિવારોને ફરીથી જીવન શરૂ કરવા માટે આશા, સન્માન અને શક્તિ આપવાનો છે.' તેણે લોકોને પણ મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. સિંગર સુનંદા શર્માએ બતાવ્યું છે કે તેનું હૃદય સંગીતની જેમ જ માનવતા માટે પણ ધબકે છે. આ લોકપ્રિય પંજાબી કલાકારે તાજેતરમાં પંજાબના પરિવારો સુધી પહોંચીને 250 પરિવારોને વ્યક્તિગત રીતે રાહત કિટ આપી છે. લોકપ્રિય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજે પૂર સંકટ દરમિયાન પંજાબની મદદ માટે આગળ આવ્યો છે. દિલજીતની ટીમે પંજાબમાં આવેલા પૂર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, 'દિલજીત દોસાંજે અન્ય NGO અને સ્થાનિક વહીવટીતંત્ર (ગુરદાસપુર અને અમૃતસર)ના સહયોગથી 10 અત્યંત પ્રભાવિત ગામોને દત્તક લીધા છે.' એક સત્તાવાર બુલેટિન અનુસાર, રાજ્યના 23માંથી 12 જિલ્લા 1 ઓગસ્ટથી પૂરની ચપેટમાં છે, જેને રાજ્ય સરકારે દાયકાઓની સૌથી ભયંકર પૂર દુર્ઘટનાઓમાંથી એક ગણાવી છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પંજાબમાં આવેલા પૂરને 'ખરેખર હૃદયદ્રાવક' ગણાવ્યું છે અને મદદનું વચન આપ્યું છે. જાણીતા સૂફી ગાયક સતિંદર સરતાજે પોતાના જન્મદિવસને પૂર રાહત કાર્ય માટે સમર્પિત કર્યો. તેના 'સરતાજ ફાઉન્ડેશન' દ્વારા, તેની ટીમે ફિરોઝપુર અને ફાઝિલ્કાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું. તેણે દેશભરના લોકોને મદદ માટે અપીલ પણ કરી છે. આ ઉપરાંત, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, રણજીત બાવા, ઇન્દ્રજીત નિક્કુ, સુનંદા શર્મા અને જસબીર જસ્સી જેવા અન્ય કલાકારો પણ રાહત કાર્યમાં સામેલ થયા છે.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
ડૉલર સામે રૂપિયો 90.41ના નવા ઓલ ટાઈમ લૉ લેવલ પર પહ...
04 December, 2025
ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો...
04 December, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપક...
04 December, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષન...
04 December, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓ...
03 December, 2025
હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર...
03 December, 2025
IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદ...
03 December, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની...
03 December, 2025
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025