જસ્ટિન ટ્રુડો પહેલીવાર બોલ્યાં, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ નથી કરતાં
November 10, 2024

બ્રેમ્પટન : ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલો ઉગ્ર વિવાદ અને તાજેતરમાં જ બ્રેમ્પટનમાં હિંદુ ભક્તો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓના હુમલાની ભારત સહિત અનેક દેશોમાં ટીકા કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ચોતરફ ઘેરાયા બાદ હવે ટ્રુડોએ સંસદમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ‘દિવાળી’ અને શિખોનો તહેવાર ‘કેદી મુક્તિ દિવસ’ પર સંસદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે પહેલીવાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અંગે કહ્યું છે કે, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ ટ્રુડોના નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ ખાલિસ્તાની અંગે નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. જસ્ટિન ટ્રુડો કહે છે કે, કેનેડામાં ખાલિસ્તાનીઓનું સમર્થન કરનારા અનેક લોકો છે, જોકે તેઓ આખા શિખ સમાજનું પ્રતનિધિત્વ કરતા નથી. આપણા દેશમાં કોઈપણ પ્રકારની હિંસા, અસહિષ્ણુતા અને વિભાજનને સ્થાન અપાતું નથી. અહીંના શીખો એવા લોકો નથી, જેઓ ખાલિસ્તાનનું સમર્થન કરતા હોય, તેઓ આખા સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી. અમે તમામ લોકોને પોતાની સંસ્કૃતિ અનુસાર જીવવા તેમજ પોતાના સમાજના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વર્તમાન સમયમાં અમારી સમક્ષ અભિપ્રાયનો આદર અને વિભાજનથી બચવાનો પડકાર છે.
Related Articles
કેનેડામાં 'ડે કેયર સેન્ટર' કાર ઘૂસી જતાં અફરાતફરી, અનેક બાળકોને કચડ્યાં, એકનું મોત, 9 ઘાયલ
કેનેડામાં 'ડે કેયર સેન્ટર' કાર ઘૂસી જતાં...
Sep 11, 2025
કેનેડાનો ભારતને ઝટકો, 80% સ્ટુડન્ટ વિઝા ફગાવ્યાં, હવે આ દેશ નવી પસંદ
કેનેડાનો ભારતને ઝટકો, 80% સ્ટુડન્ટ વિઝા...
Sep 10, 2025
કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય સહિત પાંચ લોકોના મોત
કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી...
Aug 25, 2025
નાયગ્રા ધોધ જોઈને પરત ફરનારા પ્રવાસીઓની બસને અકસ્માત, બે ભારતીય સહિત પાંચના મોત
નાયગ્રા ધોધ જોઈને પરત ફરનારા પ્રવાસીઓની...
Aug 24, 2025
કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના ક...
Aug 07, 2025
કેનેડામાં રહેતાં ભારતીયો હવે દાદા-દાદી કે માતા-પિતાને સાથે રાખી શકશે, કાર્ની સરકારનો નિર્ણય
કેનેડામાં રહેતાં ભારતીયો હવે દાદા-દાદી ક...
Aug 04, 2025
Trending NEWS

10 September, 2025

10 September, 2025

10 September, 2025

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025