જસ્ટિન ટ્રુડો પહેલીવાર બોલ્યાં, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ નથી કરતાં
November 10, 2024
બ્રેમ્પટન : ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલો ઉગ્ર વિવાદ અને તાજેતરમાં જ બ્રેમ્પટનમાં હિંદુ ભક્તો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓના હુમલાની ભારત સહિત અનેક દેશોમાં ટીકા કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ચોતરફ ઘેરાયા બાદ હવે ટ્રુડોએ સંસદમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ‘દિવાળી’ અને શિખોનો તહેવાર ‘કેદી મુક્તિ દિવસ’ પર સંસદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે પહેલીવાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અંગે કહ્યું છે કે, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ ટ્રુડોના નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ ખાલિસ્તાની અંગે નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. જસ્ટિન ટ્રુડો કહે છે કે, કેનેડામાં ખાલિસ્તાનીઓનું સમર્થન કરનારા અનેક લોકો છે, જોકે તેઓ આખા શિખ સમાજનું પ્રતનિધિત્વ કરતા નથી. આપણા દેશમાં કોઈપણ પ્રકારની હિંસા, અસહિષ્ણુતા અને વિભાજનને સ્થાન અપાતું નથી. અહીંના શીખો એવા લોકો નથી, જેઓ ખાલિસ્તાનનું સમર્થન કરતા હોય, તેઓ આખા સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી. અમે તમામ લોકોને પોતાની સંસ્કૃતિ અનુસાર જીવવા તેમજ પોતાના સમાજના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વર્તમાન સમયમાં અમારી સમક્ષ અભિપ્રાયનો આદર અને વિભાજનથી બચવાનો પડકાર છે.
Related Articles
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળાઓથી ઘેરાઈ ગઈ
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળ...
Jul 16, 2026
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિ...
Jul 13, 2026
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, કુલિંગ સેન્ટર શરૂ કરવા પડ્યા
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, ક...
Jul 01, 2026
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ...
Jun 26, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026