Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

જસ્ટિન ટ્રુડો પહેલીવાર બોલ્યાં, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ નથી કરતાં

November 10, 2024

બ્રેમ્પટન : ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલો ઉગ્ર વિવાદ અને તાજેતરમાં જ બ્રેમ્પટનમાં હિંદુ ભક્તો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓના હુમલાની ભારત સહિત અનેક દેશોમાં ટીકા કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ચોતરફ ઘેરાયા બાદ હવે ટ્રુડોએ સંસદમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ‘દિવાળી’ અને શિખોનો તહેવાર ‘કેદી મુક્તિ દિવસ’ પર સંસદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે પહેલીવાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અંગે કહ્યું છે કે, ખાલિસ્તાનીઓ તમામ શીખોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ ટ્રુડોના નિવેદનને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ ખાલિસ્તાની અંગે નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. જસ્ટિન ટ્રુડો કહે છે કે, કેનેડામાં ખાલિસ્તાનીઓનું સમર્થન કરનારા અનેક લોકો છે, જોકે તેઓ આખા શિખ સમાજનું પ્રતનિધિત્વ કરતા નથી. આપણા દેશમાં કોઈપણ પ્રકારની હિંસા, અસહિષ્ણુતા અને વિભાજનને સ્થાન અપાતું નથી. અહીંના શીખો એવા લોકો નથી, જેઓ ખાલિસ્તાનનું સમર્થન કરતા હોય, તેઓ આખા સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી. અમે તમામ લોકોને પોતાની સંસ્કૃતિ અનુસાર જીવવા તેમજ પોતાના સમાજના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વર્તમાન સમયમાં અમારી સમક્ષ અભિપ્રાયનો આદર અને વિભાજનથી બચવાનો પડકાર છે.