પુરીના જગન્નાથ મંદિરના ખજાનાનું રક્ષણ કોબ્રા સાપ કરે છે? મદારીની હાજરીમાં ખુલશે બહુમૂલ્ય રત્નભંડારના તાળાં
July 13, 2024

પુરીના જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનો ખજાનો ખોલવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. 46 વર્ષના અંતરાલ પછી રત્નભંડારના ઓરડાઓના તાળા 14મી જુલાઈએ ખોલવામાં આવશે. મંદિરના ખજાનામાં રહેલી અસ્કયામતોની આકારણીનું કામ ઘણાં સમયથી અટકેલું હતું. હવે તે થવા જઈ રહ્યું છે ત્યારે એક રસપ્રદ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. મંદિરના અધિકારીઓ ખજાનો ખોલતા સમયે એમની સાથે મદારીને રાખવાના છે!
શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન (SJTA)ના અધિકારીઓને લાગે છે કે રત્નો અને ઘરેણાંની આસપાસ ઝેરી સાપ હોઈ શકે છે. દાયકાઓથી એવી લોકમાન્યતા છે કે, જગન્નાથ મંદિરના બહુમૂલ્ય ખજાનાનું રક્ષણ કોબ્રા જેવા અતિઝેરી સાપ કરે છે. માન્યતા સાચી હોય કે ન હોય. પરંતુ 46 વર્ષથી બંધ રહેલા ઓરડાઓ ખોલતી વખતે SJTAના અધિકારીઓ કોઈ જોખમ લેવા નથી માંગતા અને અગમચેતીના ભાગરૂપે મદારીને સાથે રાખવાના છે કે જેથી કોઈ સાપ નીકળે અને કોઈને કરડે એ પહેલાં મદારી એને પકડી લે.
થોડા સમય પહેલા ‘જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ’ હેઠળ મંદિરના સૌંદર્યવર્ધન (બ્યુટીફિકેશન)નું કામ ચાલી રહ્યું હતું ત્યારે મંદિરના પરિસરમાં સાપ જોવા મળ્યા હતા. આ મંદિર ખૂબ પ્રાચીન હોવાથી એના સંકુલની દિવાલોમાં ક્યાંક ક્યાંક તિરાડો અને છિદ્રો પડેલા છે.
2024ની ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ રત્નભંડાર ખોલવાનો મુદ્દો છેડ્યો હતો. ખજાનામાં શું શું છે એ જાહેર કરીને એના સંચાલનમાં પારદર્શિતા આણવાની માંગ ભાજપાએ કરી હતી. ત્યારે ભાજપે રાજ્યસરકાર (નવીન પટનાયકની બીજેડી સરકાર) મંદિરના ખજાનાનો ઉપયોગ અંગત લાભ માટે કરતી હોવાનું નિવેદન આપીને પણ ચર્ચા જગાવી હતી. આટલા વર્ષો સુધી બીજેડી ખજાનાની ચાવીઓ ખોવાઈ ગઈ હોવાથી ખજાનો ખોલી શકાતો નથી, એવું બહાનુ રજૂ કરતી આવી હતી. હવે જ્યારે ભાજપા ઓરિસ્સામાં સત્તારૂઢ છે ત્યારે મંદિરનો રત્નભંડાર ખોલવાનું શક્ય બન્યું છે.
જગન્નાથ મંદિરના રત્નભંડારમાં ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને દેવી સુભદ્રાના ઘરેણાં છે. વર્ષ 1978માં રત્નભંડાર ખોલવામાં આવ્યા હતા ત્યારે 12831 સોનાના ઝવેરાત અને 22153 ચાંદીના વાસણો નોંધાયા હતા. અન્ય કિમતી સામગ્રી તો અલગ. સમગ્ર ખજાના કિંમત આંકી શકાય એમ નથી. એ પછી 1985માં ખજાનાના દ્વાર ખોલવામાં આવ્યા હતા, પરંતુ એ વખતે રત્નો અને ઘરેણાંની વિગતો જાહેર નહોતી કરવામાં આવી. રત્નભંડારમાંથી કિમતી ઝવેરાતની ચોરી થઈ ગયાની ચર્ચા પણ વખતોવખત ઉડતી રહે છે. 1985 અને 1978 અગાઉ બે વખત, 1926 અને 1905માં, ભંડાર ખોલવામાં આવ્યા હતા. એ અગાઉની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન (SJTA)ના અધિકારીઓને લાગે છે કે રત્નો અને ઘરેણાંની આસપાસ ઝેરી સાપ હોઈ શકે છે. દાયકાઓથી એવી લોકમાન્યતા છે કે, જગન્નાથ મંદિરના બહુમૂલ્ય ખજાનાનું રક્ષણ કોબ્રા જેવા અતિઝેરી સાપ કરે છે. માન્યતા સાચી હોય કે ન હોય. પરંતુ 46 વર્ષથી બંધ રહેલા ઓરડાઓ ખોલતી વખતે SJTAના અધિકારીઓ કોઈ જોખમ લેવા નથી માંગતા અને અગમચેતીના ભાગરૂપે મદારીને સાથે રાખવાના છે કે જેથી કોઈ સાપ નીકળે અને કોઈને કરડે એ પહેલાં મદારી એને પકડી લે.
થોડા સમય પહેલા ‘જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ’ હેઠળ મંદિરના સૌંદર્યવર્ધન (બ્યુટીફિકેશન)નું કામ ચાલી રહ્યું હતું ત્યારે મંદિરના પરિસરમાં સાપ જોવા મળ્યા હતા. આ મંદિર ખૂબ પ્રાચીન હોવાથી એના સંકુલની દિવાલોમાં ક્યાંક ક્યાંક તિરાડો અને છિદ્રો પડેલા છે.
2024ની ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ રત્નભંડાર ખોલવાનો મુદ્દો છેડ્યો હતો. ખજાનામાં શું શું છે એ જાહેર કરીને એના સંચાલનમાં પારદર્શિતા આણવાની માંગ ભાજપાએ કરી હતી. ત્યારે ભાજપે રાજ્યસરકાર (નવીન પટનાયકની બીજેડી સરકાર) મંદિરના ખજાનાનો ઉપયોગ અંગત લાભ માટે કરતી હોવાનું નિવેદન આપીને પણ ચર્ચા જગાવી હતી. આટલા વર્ષો સુધી બીજેડી ખજાનાની ચાવીઓ ખોવાઈ ગઈ હોવાથી ખજાનો ખોલી શકાતો નથી, એવું બહાનુ રજૂ કરતી આવી હતી. હવે જ્યારે ભાજપા ઓરિસ્સામાં સત્તારૂઢ છે ત્યારે મંદિરનો રત્નભંડાર ખોલવાનું શક્ય બન્યું છે.
જગન્નાથ મંદિરના રત્નભંડારમાં ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને દેવી સુભદ્રાના ઘરેણાં છે. વર્ષ 1978માં રત્નભંડાર ખોલવામાં આવ્યા હતા ત્યારે 12831 સોનાના ઝવેરાત અને 22153 ચાંદીના વાસણો નોંધાયા હતા. અન્ય કિમતી સામગ્રી તો અલગ. સમગ્ર ખજાના કિંમત આંકી શકાય એમ નથી. એ પછી 1985માં ખજાનાના દ્વાર ખોલવામાં આવ્યા હતા, પરંતુ એ વખતે રત્નો અને ઘરેણાંની વિગતો જાહેર નહોતી કરવામાં આવી. રત્નભંડારમાંથી કિમતી ઝવેરાતની ચોરી થઈ ગયાની ચર્ચા પણ વખતોવખત ઉડતી રહે છે. 1985 અને 1978 અગાઉ બે વખત, 1926 અને 1905માં, ભંડાર ખોલવામાં આવ્યા હતા. એ અગાઉની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
Related Articles
પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા
પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદ...
Apr 23, 2025
આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પછી વાધવનથી પહેલગામ ગયા હોવાનું ગુપ્તચર એજન્સીએ જણાવ્યું
આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પ...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલો : અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
પહલગામ આતંકી હુમલો : અમિત શાહે શ્રીનગરમા...
Apr 23, 2025
પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત...
Apr 23, 2025
આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે દુઃખ વ્યક્ત કર્યું
આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સં...
Apr 22, 2025
Trending NEWS

'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે', રા...
22 April, 2025

'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને...
22 April, 2025

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલ...
22 April, 2025

પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્...
22 April, 2025

જેડી વાન્સે પરિવાર સાથે આમેર કિલ્લો, હવા મહેલની મુ...
22 April, 2025

હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે કેસ કર્યો,...
22 April, 2025

નવા પોપ બનવા માટે 5 ચેહરાના નામ સૌથી આગળ
22 April, 2025

બેંગ્લોરમાં બાઈક સવારનો એરફોર્સના ફાઈટર પાઈલટ અને...
22 April, 2025

ખુબજ મુશ્કેલીમાં વિતાવ્યુ બચપન,ધીરેન્દ્ર શાસ્ત્રીએ...
22 April, 2025

પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં 3 દિવસ રાષ્ટ્રીય શ...
22 April, 2025