સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન કરી શકે છે : અભ્યાસ
November 24, 2021

એક અભ્યાસ અનસાર, સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન કરી શકે છે, એટલું જ નહીં પરંતુ તે કેન્સર પણ નોતરી શકે છે. સંશોધકોએ હોંગકોંગમાં કેટલાક ડોક્ટરોનો અભ્યાસ કર્યો હતો. આમાંના કેટલાક ડોક્ટરોએ નાઇટ શિફ્ટમાં કામ કર્યું હોવાથી તેમનામાં ઊંઘનો અભાવ જોવા મળ્યો હતો અને ઊંઘનો અભાવ ડીએનએને 30 ટકા નુકસાન પહોંચાડી શકે છે, આને કારણે રંગસૂત્રની ખામી સર્જાય છે જે સરવાળે કેન્સર નોતરે છે.
અનિદ્રા ડીએનએને કાયમી ધોરણે નુકસાન કરી શકે છે અને કેન્સરનાં જોખમમાં વધારો કરે છે તેવું સંશોધકોએ જણાવ્યું છે. અનિદ્રા રિપેર થવાની ડીએનએની ક્ષમતાને પણ નુકસાન કરે છે, પરિણામે વંશીય રોગો પેદા થાય છે. સંશોધકોનું એવું માનવું છે કે યુવાનો રંગસૂત્રો પર અનિદ્રાની અસરની તપાસ કરનાર આ પહેલો અભ્યાસ છે. રાતની પાળીમાં કામ કરનાર ડોક્ટરોની ઊંઘ પર સંશોધનમાં ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, જોકે સંશોધકોને હજુ સુધી જાણવા મળ્યું નથી કે શા માટે ઊંઘનો અભાવ ડીએનએને નુકસાન કરે છે.જ્યારે શરીરનું તંત્ર છિન્નભિન્ન થાય છે ત્યારે લોકોના જનીનોમાં ફેરફાર આવે છે. એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે અપૂરતી ઊંઘ માનવશરીરને સૌથી વધારે નુકસાન કરે છે. ઊંઘનો અભાવ લોકોના જનીનો પર અસર પાડે છે અને ડીએનએને કાયમી ધોરણે નુકસાન કરે છે.
Related Articles
સૌરમંડળમાં ૫૯ વર્ષ પછી બની રહી છે ઘટના, ૨૬ સપ્ટેમ્બરે ગુરુ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે
સૌરમંડળમાં ૫૯ વર્ષ પછી બની રહી છે ઘટના,...
Sep 23, 2022
રશિયાના યુદ્વ વચ્ચે યૂક્રેની ખગોળવાદીઓનો દાવો, કીવના આકાશમાં UFO જોવા મળ્યુ
રશિયાના યુદ્વ વચ્ચે યૂક્રેની ખગોળવાદીઓનો...
Sep 17, 2022
આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની શક્યતા
આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સ...
Mar 31, 2022
કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારાને પણ ડેલ્ટા વેરિયંટનો ચેપ લાગી શકે: રિસર્ચ
કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારાને પણ...
Nov 24, 2021
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023