અમદાવાદ -યુવકે સોશિયલ મીડિયામાં એ હદે ક્રૂર પજવણી કરી કે સગીરાએ કંટાળી જિંદગી ટૂંકાવી
January 10, 2021

અમદાવાદના નરોડા વિસ્તારમાં 8 ડિસેમ્બરના રોજ એક સગીરાએ આત્મહત્યા કરી હતી, સગીરાના આપઘાત પાછળના કારણનો હવે દોઢ માસ બાદ ખુલાસો થયો છે. સગીરાએ આત્મહત્યાના દિવસે પોતાના એક મિત્રને કરેલા વોટ્સએપ ચેટ પરથી ખુલાસો થતા નરોડા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. મૃતક સગીરાએ મિહિર રાઠોડ નામના યુવકની ધમકીથી કંટાળી આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
મિહિર નામના યુવકે સગીરાને કહ્યું હતું કે, ‘તુ એમ જ મરી જા, હું તને જીવવા નહીં દઉં’ સહિતના સંખ્યાબંધ મેસેજ કરી ધમકી આપી હતી. જેનાથી કંટાળીને કિશોરીએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે, કિશોરીએ મૃત્યુના દિવસે તેના એક મિત્ર સાથે વોટ્સ એપથી ચેટીંગ કર્યું હતું. જેમાં મિહીરના ત્રાસથી જ કિશોરીએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે ઘટનાના એક દોઢ બાદ કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મિહિરની અટકાયત કરી હતી.
સગીરવયની દીકરીના આપઘાતથી પરિવાર ભાંગી પડ્યો હતો. દીકરીને શું તકલીફ હશે કે તેને આત્મહત્યા કરી લીધી? આ સવાલનો અંત સગીરાએ કરેલા વોટ્સએપ ચેટ પરથી આવ્યો છે. તેને પોતાના મિત્રને મિહિરના ત્રાસને લઈને વોટ્સએપમાં મેસેજ કર્યા હતા.
સગીરાએ આત્મહત્યા પહેલા 8 ડિસેમ્બરના રોજ બપોરે 1.03 વાગ્યે મિત્રને મેસેજ કર્યો હતો જેમા તેણે લખ્યું હતું કે, મિહિર બહુ હેરાન કરે છે મરવાનું કહે છે. હું મરી જાઉં છું. ગાળો બોલે છે, મારા મામાની દુકાને જઇને બધુ કહી દે છે, મારા ઘરે આવવાનું કહે છે, હું નહીં મરુ તો એ મારશે. ઉપરાંત એમ પણ કહે છે કે હું જીવવા નહીં દઉં અને ગંદી ગાળો બોલે છે તથા મમ્મી પપ્પાને બધુ કહી દેવાની ધમકી આપે છે. તે મરવાનું કહે છે હું એની સાથે નથી તો પણ બોલે છે. મિહીર કહે છે હું આજે નહીં મરું તો મિહીર ઘરે આવશે બધુ કહેશે અને તું મરી જા નહીં તો જુદા જુદા નંબરથી મેસેજ કરીશ તેમ મિહીર કહેશે.
સગીરાના શબ્દોથી સાફ થાય છે કે, મિહિરના માનસિક ત્રાસથી કંટાળીને તેને ફક્ત મોત જ વિકલ્પ દેખાયો હતો.
સગીરા અને મિહિર સ્કૂલમાં મિત્રો હતા. પણ સગીરાની સ્કૂલ બદલી ગયા બાદ મિહિર તેને માનસિક હેરાન કરતો હતો. સગીરા અને મિહિર વચ્ચે કઈ બાબતે તકરાર ચાલતી હતી. અને મિહિરે કેમ સગીરાને મરવા માટે દુસ્પ્રેરણા કરી. જે મામલે પોલીસે મિહિરની પૂછપરછ શરૂ કરી છે.
Related Articles
શું 31 જાન્યુઆરી બાદથી હટાવાશે રાત્રિ કર્ફ્યૂ? નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન
શું 31 જાન્યુઆરી બાદથી હટાવાશે રાત્રિ કર...
Jan 26, 2021
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સામે આવ્યા કૉંગ્રેસના આંતરિક ડખા, બોટાદમાં પડ્યો જોરદાર ફટકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સામે આવ્યા...
Jan 26, 2021
જૂનાગઢ-ગિરનાર જનારા પ્રવાસીઓની મજા બમણી થઈ જશે, સરકારે આપી મોટી ભેટ
જૂનાગઢ-ગિરનાર જનારા પ્રવાસીઓની મજા બમણી...
Jan 26, 2021
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ...
Jan 26, 2021
5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, નરેશ-મહેશની બેલડી પદ્મ શ્રીથી સન્માનિત
5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, નરેશ-મહ...
Jan 25, 2021
સુરત ભાજપના માજી કોર્પોરેટર ભાન ભુલ્યા, PM રૂમની અંદર જઈ તબીબને માર માર્યો
સુરત ભાજપના માજી કોર્પોરેટર ભાન ભુલ્યા,...
Jan 25, 2021
Trending NEWS

26 January, 2021

26 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021